આ અંગવસ્ત્રના લીધે હું મંઝીલથી ભટકી ગયો!!
નાનપણમાં સ્કૂલની લાઈબ્રેરીમાં મેં એક વાર્તા વાંચી હતી.. આજે અચાનક જ એ વાર્તા યાદ આવી..જીવનમાં ઘણાં નિર્ણયો આપણે જે લેવા જોઈએ તે નથી લેતા પરંતું પરિસ્થિતિની શરણાગતિ સ્વીકારી તેમાં આપો આપ ખૂંપી જઈએ છે.. આવું કેમ થાય છે કદાચ તનો જવાબ આ વાર્તામાં મળી જશે... એક યુવાન જીવનથી કંટાળી ગયો હતો.. હોશિંયાર હતો પણ ખબર નહોતી પડી રહી કે જીવનમાં શું કરવું.. પારિવારિક જીવન જીવતાં લોકોના જીવનની તકલીફ જોઈને તેેને સંન્યાસ લેવાનું મન થયું... તે એક સંત પાસે ગયો અને કહ્યું, “હે મહારાજજી, હું સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ લેવા માગું છું... આપ મને આપની શરણમાં લો મને આપનો શિષ્ય બનાવો અને મને દિક્ષા આપો..” મહારાજજી એ મંદ મુસ્કાન સાથે બે મિનિટ મૌન જ રહી પછી જવાબ આપ્યો… “શું તને લાગે છે સંન્યાસી થવું આટલું સહેલું છે?.. પહેલા મારે તારી કસોટી લેવી પડશે.. જો તું એમાં ખરો ઉતરીશ તો જ હું તને દીક્ષા આપીશ અને સંન્યાસી તરીકે માન્યતા અપાવીશ... જા ગામની બહાર જંગલમાં મારી એક ઝૂંપડી છે 45 દિવસ સુધી ત્યાં જ રહેજે હું તને ત્યાં મળવા આવીશ..” જેવી આપની આજ્ઞા એમ કહીં તે યુવાન ત્યાંથી ચાલ્યો ગયો અને માત્ર એક જોડી ...